ચિકનગુનિયાવાયરસથીસંક્રમિત મચ્છર કરડવાથી ચિકનગુનિયા લોકોમાં ફેલાય છે. લક્ષણોમાં તાવ, બળતી ત્વચા અને સાંધામાં દુખાવો સામેલ છે. આ વાયરસ મુખ્યત્વે આફ્રિકા, એશિયા, પશ્ચિમ પેસિફિક અને અમેરિકામાં જોવા મળે છે. આ ચેપથી બચવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રવાસીઓએ મચ્છરોના કરડવાથી બચવું જોઈએ.
ચિકનગુનિયા એક વાયરસનો ચેપ (ચિકનગુનિયા) છે જે વાયરસ બે પ્રકારના મચ્છરો દ્વારા ફેલાય છે:
ચિકનગુનિયાના લક્ષણોમાં આટલું સામેલ છે:
સામાન્ય રીતે ચેપગ્રસ્ત મચ્છર કરડ્યાના લગભગ 7-10 દિવસ પછી લક્ષણો દેખાય છે.
ચિકનગુનિયા વાયરસથી સંક્રમિત મોટાભાગના લોકો થોડા અઠવાડિયામાં સ્વસ્થ થઈ જાય છે. કેટલાક લોકોને ઘણા અઠવાડિયા સુધી થાક અને ઘણા મહિનાઓ સુધી સાંધામાં દુખાવો રહી શકે છે.
વાયરસથી સંક્રમિત મચ્છર કરડ્યા પછી લોકોને ચિકનગુનિયા વાયરસનો ચેપ લાગે છે. ચિકનગુનિયા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સીધો ફેલાતો નથી.
મચ્છર જ્યારે એવી વ્યક્તિને કરડે છે જેના લોહીમાં ચિકનગુનિયા વાયરસ હોય છે ત્યારે તે ચેપગ્રસ્ત બને છે. એકવાર ચેપ લાગ્યા પછી, મચ્છરની અંદર વાયરસની સંખ્યા બેવડાવા માંડે છે અને એ મચ્છર કરડે ત્યારે અન્ય લોકોને ચેપ લાગી શકે છે.
ચિકનગુનિયા વાયરસ આફ્રિકા, એશિયા, અમેરિકા અને પશ્ચિમ પેસિફિકમાં જોવા મળે છે. જે લોકો ચિકનગુનિયા થાય છે એ પ્રદેશોમાં મુસાફરી કરે છે, તેમને ચેપવાળા મચ્છર (ડેન્ગ્યુ મચ્છર કે એશિયન ટાઇગર મચ્છર)ના કરડવાથી ચેપ લાગવાનું જોખમ રહેલું છે.
ચિકનગુનિયા નીચેના લોકો માટે વધુ ગંભીર બની શકે છે:
ઓસ્ટ્રેલિયામાં અત્યારે ચિકનગુનિયાની કોઈ રસી માન્ય નથી.
મચ્છરના કરડવાથી બચવા માટે, આ પગલાં લો:
ઉપર જણાવેલા સુરક્ષાના સામાન્ય પગલાં ઉપરાંત, વિદેશમાં મુસાફરી કરતી વખતે તમારે આ પણ કરવું જોઈએ:
મચ્છરોના કરડવાથી બચવા માટેની માહિતી માટે, મચ્છરો આરોગ્ય માટે જોખમ છે ફેક્ટશીટ જુઓ. સ્માર્ટટ્રાવેલર વેબસાઇટમાં ચોક્કસ સ્થળો માટે આરોગ્ય સંબંધિત ચોક્કસ માહિતી પણ છે.
તમારા ડોક્ટર લોહીનો નમૂનો લઈને ચિકનગુનિયા વાયરસ માટે તેનું પરીક્ષણ કરાવી શકે છે. તાજેતરના ચેપની ખાતરી કરવા માટે બીજીવાર લોહીની તપાસની જરૂર પડી શકે છે.
ચિકનગુનિયા માટે કોઈ ચોક્કસ સારવાર નથી. તમારા ડોક્ટર તમને બળતરા અને સોજા ઘટાડતી દવાઓથી સારવારની સલાહ આપશે.
જ્યારે કોઈમાં ચિકનગુનિયા વાયરસ મળે છે ત્યારે લેબોરેટરીઓ તેમના સ્થાનિક જાહેર આરોગ્ય એકમને જાણ કરે છે.
જાહેર આરોગ્ય એકમો દરેક કેસની તપાસ કરે છે જેથી તે વ્યક્તિ ક્યાં ચેપગ્રસ્ત થઈ હતી તે નક્કી કરી શકાય.
આ માહિતી ઓછા જોખમી ગણાતા વિસ્તારોમાં ચેપ ફેલાઈ રહ્યો છે કે નહીં તે જાણવા માટે મહત્ત્વપૂર્ણ છે. તેનો હેતુ ઓસ્ટ્રેલિયાના એવા વિસ્તારોમાં ચેપ ફેલાતો અટકાવવાનો પણ છે જ્યાં ચિકનગુનિયા ફેલાવી શકે તેવા મચ્છરો હોય.
જો તમને ચિકનગુનિયાના લક્ષણો હોય અને તમે ચિંતિત હોવ, તો તરત જ તમારા ડોક્ટર સાથે વાત કરો કે ઇમર્જન્સીમાં ટ્રિપલ ઝીરો (000) પર કોલ કરો.
વધુ સલાહ માટે, વિનામૂલ્યે અને ગોપનીય ભાષા સહાય માટે 131 450 પર ટ્રાન્સલેટિંગ એન્ડ ઇન્ટરપ્રીટિંગ સર્વિસ (TIS)ને કોલ કરો. તેમને તમારી ભાષા અને તમે જે ભાષામાં વાત કરવા માંગો છો તે જણાવો:
ચિકનગુનિયાથી બચવાની વધુ માહિતી માટે, જુઓ: જુઓ મચ્છરો આરોગ્ય માટે જોખમ છે ફેક્ટશીટ અને વિદેશમાં સલામત અને સ્વસ્થ રહેવું