શિગેલોસિસ એ શિગેલા બેક્ટેરિયાથી થતો રોગ છે. તેનાથી ઝાડા થાય છે અને તે લોકોમાં સરળતાથી ફેલાય છે.
શિગેલા ચેપ, જેને shigellosis પણ કહેવાય છે, તે શિગેલા બેક્ટેરિયાથી થાય છે. શિગેલા બેક્ટેરિયા ચેપગ્રસ્ત વ્યક્તિના મળના સંપર્ક દ્વારા કે દૂષિત પાણી કે ખોરાક ખાવા-પીવાથી ફેલાય છે. તેનાથી સામાન્ય રીતે ઝાડા થાય છે.
શિગેલા ચેપના લક્ષણોમાં સામેલ છે:
લક્ષણો સામાન્ય રીતે ચેપ લાગ્યાના 1-3 દિવસ પછી શરૂ થાય છે. લક્ષણો સામાન્ય રીતે 4-7 દિવસ સુધી રહે છે, પરંતુ લાંબા સમય સુધી રહી શકે છે.
કેટલાક લોકોમાં લક્ષણો 1 અઠવાડિયા સુધી ન દેખાય કે તેમને લક્ષણો બિલકુલ ન પણ થાય.
શિગેલા મળમાં જોવા મળે છે. તમને શિગેલા ચેપ આ રીતે લાગી શકે છે:
શિગેલા ચેપનું સૌથી વધુ જોખમ ધરાવતા લોકોમાં સામેલ છે:
શિગેલા ચેપથી બચવા માટે તમારે:
શિગેલા સામાન્ય હોય તેવા દેશોમાં મુસાફરી કરતા લોકોએ આમ પણ કરવું:
શિગેલા ચેપ ધરાવતા લોકોએ:
ડોક્ટર મળના નમૂનાનું પરીક્ષણ કરશે.
શિગેલા ચેપ ધરાવતા લોકોને સામાન્ય રીતે તેમના ડોક્ટર દ્વારા બીમારીની તીવ્રતા અને સમય ઘટાડવા માટે એન્ટિબાયોટિક્સ લખી આપવા આવે છે. એન્ટિબાયોટિક્સ વ્યક્તિ અન્ય લોકો માટે ચેપી હોય તે સમયગાળો પણ ઘટાડી શકે છે.
ડિહાઇડ્રેશન ટાળવા માટે પુષ્કળ પ્રવાહી પીવું મહત્ત્વપૂર્ણ છે. નાના બાળકો (ખાસ કરીને નવજાત શિશુઓ)ને ઝાડાથી ડિહાઇડ્રેશનનું જોખમ હોય છે માટે માતાપિતાએ તબીબી સહાય લેવી જોઈએ.
લેબોરેટરીઓએ શિગેલાના કેસોની સ્થાનિક જાહેર આરોગ્ય એકમને જાણ કરવી જરૂરી છે. જાહેર આરોગ્ય એકમના કર્મચારીઓ કેસ અને તેમની સંભાળ લેનારાઓની મુલાકાત લેશે અને ચેપના સ્રોતને ઓળખવાનો પ્રયાસ કરશે જેથી નવા ચેપને નિયંત્રિત કરી શકાય.
વધુ સલાહ માટે, વિનામૂલ્યે અને ગોપનીય ભાષા સહાય માટે 131 450 પર ટ્રાન્સલેટિંગ એન્ડ ઇન્ટરપ્રીટિંગ સર્વિસ (TIS)ને કોલ કરો. તેમને તમારી ભાષા અને તમે જે ભાષામાં વાત કરવા માંગો છો તે જણાવો: